શ્રી કેતન કાપડિયા અને તેમના પત્નીને જયારે વારંગલ ની જેલમાં ટ્રાન્સ્ફર મળ્યું ત્યારે પહેલા તો તેમને લાગ્યું કે આ કડવો-કપરો-અણગમતો અનુભવ ક્યા આવ્યો અચાનક?બેઉ આઈ.એ.એસ.ઓફિસર હતા અને કલેકટરની પોસ્ટ પર બહુ કડક અને લાંચ-રુશ્વતથી જોજન નાં જોજન દૂર રહેવાના કારણે જ કદાચ તેમનું ટ્રાન્સ્ફર વારંગલની જેલમાં જેલ અધિકારીઓ તરીકે કરવામાં આવ્યું કારણ કે અહીની જેલમાં સ્ત્રી કેદીઓની સંખ્યા પણ લગભગ પુરુષ કેદીઓ જેટલી જ હતી.કેદીઓ તોફાની,ત્રાસ આપનાર અને તેમાંથી મોટા ભાગના તો લાંબી સજા ભોગવનાર કેદીઓ જ હતા.તેને સાચવવા એ કાંઈ જેવું તેવું કામ ન હતું.જે મળે,જે આવે તે સ્વીકારી પ્રતિકૂળ પરિસ્થિતિને સાનુકૂળ પરિસ્થિતિમાં પરિવર્તિત કરવાની પતિ-પત્નીમાં કુનેહ હતી,સમજ હતી,આત્મશક્તિ હતી,વિલપાવર હતો.મહિલા કેદીઓને પ્રેમથી,લાગણીથી,સમજાવટથી અને લાંબા ગાળાનો ફાયદો સમજાવી શ્રીમતી કૃતિ કાપડીયા તેમને સારી રીતે વર્તવાનું શીખવતા.લડવાથી કાંઈ જ મળે નાહી,તોફાનો કરવાથી સજા જ મળે,ઝગડા કરવાથી પોતાનું જ અંતે નુકસાન,સારા માણસ બનવાથી આપણને ફાયદો જ ફાયદો થાય,જીવન સુધરી જાય,સજા પણ અમારી ભલામણથી ઓછી થઇ શકે.અમે તમને સારી ભલામણ કરી તમને ફાવે-ગમે તેવી નોકરી પણ અપાવડાવી શકીએ.માટે તોફાનો ઓછા કરો,ઝગડા કરો જ નાહી.હળીમળીને રહો.પ્રેમથી સંપીને એકબીજાને મદદ રૂપ થતા રહી સારું અમૂલ્ય મનુષ્ય જન્મ સાચવીને ,સમજીને જીવો.” કૃતિને મહીલાકેદીઓ સાથે બહેનપણાં હૈ ગયા. તેમની સાથે તે જમવા પણ બેસી જતી.પોતે બનાવેલી વાનગીઓ પણ વધારે બનાવી તેમને વાર-તહેવારે જમાડતી.દરેક મહિલા કેદીને લાગતું કે તે જેલમાં નાહી,મહેલમાં છે-પ્રેમના મહેલમાં છે.કૃતિ કોશિશ કરી ભલામણો કરી કરી સહુની સજા ઓછી કરાવતી રહેતી,કોઈ-કોઈ ને પેરોલ પર પણ જવાનો મોકો અપાવતી,સજા પ્પોરી કરી મહિલાકેડી બહાર જાય ત્યારે તેને પોતાના કોઈ ઓળખીતા સર્કલમાં નોકરી પણ અપાવડાવતી.આમ તે તો એટલી લોકપ્રિય થઇ ગઈ કે તેને બધી મહીલા કેદીઓ ‘બહેન બહેન’ કહેવા લાગી ગઈ હતી.
‘જેલમાંથી મહેલમાં…’ વાર્તા પીડીએફમાં મેળવવા અહીં ક્લિક કરો..
વાંચકોના પ્રતિભાવ…